Skip to main content

નોબત અને કચ્છ : કચ્છી લોક વાદ્ય


 #નોબત


શુભપ્રસંગે અથવા યુદ્ધના સમયે વગાડવામાં આવતી.

નર અને માદા એમ બે જોડમાં હોમ.

નોબતનું તળિયું તાંબું-પિત્તળ કે પંચધાતુનુ હોય જેથી તેનો સ્વર તબલાં, નગારું, નરઘાંથી અલગ પડે છે.

રાજાશાહી વખતથી કચ્છમાં લગ્ન હોઇ કે, ત્યૌહાર પણ નોબત અને શરણાઇના સૂર ન રણકે ત્યાર સુધી ખુશીનો માહોલ બંધાય જ નહીં પરંતુ આજે ફેશનનો મોર્ડન જમાનો છે. ત્યારે લોકો આવા સાંસ્કૃતિક વાધ્યોને ભૂલી રહ્યા છે. 

એક જમાનો હતો જ્યાં લગ્ન નક્કી થતાં જ ઢોલની ઘરના આંગણે ઢોલ વગાડતા અને પરિવારની સ્ત્રીઓ ઢોલ વધાવતી પરંતુ આજે આ પરંપરા માત્ર #દરબાર જ્ઞાતીના લોકોમાં જ જીવંત છે.

કચ્છમાં નોબત અને શરણાઇનો ચારસો વર્ષ જૂની સંસ્કૃતિ છે પરંતુ આજે ભુજની અંદર શરણાઇ, નોબત, મોરચંગ કે જોડિયા પાવા જેવા વાધ્યો લગ્નપ્રસંગોમાં જોવા મળતા નથી. અને તેના કલાકારો પણ આંગણીના વેંઢે ગણી શકાય તેટલા જ રહ્યા છે.

> કચ્છી વાદકે #એફીલ ટાવર પર નોબત વગાડી હતી કચ્છના #સુલેમાન_જુમા નું નામ નોબત વાદનક્ષેત્રે ગૌરવથી લેવાય છે. #ફ્રાન્સની સરકારે તેના નોબત વાદનથી પ્રભાવિત થઇ તેને એફિલ ટાવર પર નોબત વગાડવાનું આમંત્રણ આપ્યું હતું. જ્યાં આ કચ્છી કલાકારે નોબત વગાડીને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજે પણ નોબત વાદનમાં વાત થાય તો સુલેમાન જુમાનું નામ સૌથી પહેલા હોય છે. પરંતુ હવે સુલેમાન જુમાને અનુસરતા કલાકારોની સંખ્યા ખુબ ઓછી રહી છે.




> કચ્છી નોબતે #અમેરિકામાં ધૂમ મચાવી ભુજના આબીદ રમજૂ ઇશાણી કે જેઓ વ્યવસાયે નોબત વગાડે છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી તેમની ટીમ સાથે નવરાત્રી દરમિયાન અમેરિકા પ્રોગ્રામ આપવા જાય છે. અને તેમની નોબત શરણાઇ અને ઢોલની તાલ પર વિદેશી ખેલૈયાઓને ગરબે ઘૂમાવે છે. પરંતુ અફસોસ કે જ્યાંની આ કલા છે ત્યાં વિસરાઇ રહી છે.

> કચ્છી લગ્નગીતો આજે ભૂલાતા જાય છે શહેર ગાયા શહેરા ગયા હજરત શહેરા આવા ગાયા, લાડી બાઇની શહેરા ગાયા જેવા કચ્છી લગ્નગીતો આજે જવલેજ સાંભળવા મળે છે.

> કચ્છી લોકગીતને જીવંત રાખવા જરૂરી લગ્નોત્સવમાં કચ્છી સંસ્કૃતિના અભિન્ન અંગ સમા કચ્છી લગ્નગીતોની કલાને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહેલા ૫૨ વર્ષીય હમીદાબાઇ લાડકા કહે છે કે, પ્રસંગો પાત લોકગીતો તથા લગ્નગીતો ગાવા એ તેમનો પેઢીઓથી ચાલ્યો આવતો વ્યવસાય છે. પરંતુ આજે આ કલા લુપ્ત થઇ રહી છે. જેને જિવંત રાખવા હમીદાબાઇ તેમની આઠ સખીઓની મંડળી સાથે આજે પણ મહાજનોને ત્યાં જનોઇ શ્રીમંત તથા લગ્ન પ્રસંગે ગીત ગાવા જાય છે.

> દુર્લભ વાધ્યોના કલાકારો પણ દુર્લભ નોબત, શરણાઇ, મોરચંગ અને જોડિયા પાવા જેવા દુર્લભ વાધ્યો વગાડતા કલાકારોની સંખ્યા ભુજમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ રહી છે શહેરમાં આ વાધ્યોને વગાડવાના જાણકાર ૧૦ જેટલા લોકો જ છે.



> કચ્છના વાધ્યોની કલાને જીવંત રાખવા પ્રયાસ સંગીત કલાને જિવંત રાખવા પેઢીઓથી આ વ્યવસાય સાથે જોડાયેલા અને દેશ-વિદેશમાં કાર્યક્રમ આપી ચૂકેલા નજીર હુશેન લંઘા, આ કલાને લોકોને શીખવવા માંગે છે. આ વાધ્યોની કલાના કસબીઓની સંખ્યામાં વધારો કરવો એ તેમનુ સ્વપ્ન છે.

https://faradijagir.blogspot.com

Comments

ad

Popular posts from this blog

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ ના સંક્ષિપ્ત ઐતિહાસિક માહિતી સાથે..

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવનાર જાગીર હતી. Ht

અફીણનું બંધાણ અને ફરાદી જાગીરનો ભુજ સાથે પત્ર વ્યવહાર.

 કચ્છ રાજ્યમાં એક સમયનું પ્રખ્યાત બંધાણ એટલે અફીણ. અફીણના બંધાણીઓ માટે તેનો નિરંતર પુરવઠો સમય પર મળવો અતિ આવશ્યક હતો. અફીણ એટલે મહા બંધાણ કે મુર્દામાં જાન ફુંકનાર શક્તિ¡¡ કવિઓએ અફીણના નશાને પ્રિયતમાના પ્રેમ સાથે સરખાવ્યો છે. જેમ કે તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારી રૂપની પુનમનો પાગલ એકલો. તો વાર્તાકારો અને વિચારકોએ તેને ખરલના ખેલ કે ઉંદર ખરલમાં ગારેલ અફીણનો કેફ ચાટી જતાં ક્યાં ગ્યાં એની મા ના મિંદડા.... વગેરે વાર્તાઓ દ્વારા નશો ક્યારેક ભાન ભુલાવે છે તે પછી  સત્તા હોય, રુપિયા હોય કે કોઈ પદનો નશો હોય. જે આ અફીણી વાર્તાઓ દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો છે. આજ અફીણના બીજ જેને આપણે ખસખસ કહીએ છીએ તે અફીણના ડોડામાંથી પ્રાપ્ત થઈ ગણપતિના મોદકના સ્વાદમાં વધારો કરે છે. ઉપરાંત લૂઝ મોશન અને અન્ય તકલીફોમાં અફીણ અને ખસખસનો દવા તરીકે ઉપયોગ પણ થતો આવ્યો છે. રાજાશાહીમાં યુધ્ધના મેદાનમાં જતાં પહેલાં યોદ્ધાઓ અને ડેલીઓના ડાયરામાં બેઠેલાં મહેમાનોમાં ખોબલેને ધોબલે કસુંબાઓ પાવામાં આવતાં. કસુંબલ ડાયરાઓનું પણ લોકસાહિત્યમાં એક આગવું મહત્વ છે. ત્યારે અફીણની આટલી પિષ્ટપેષણ પછી ફોટોમાં આપેલ પત્ર એ ફરાદી જાગીરદાર

ફરાદી મોટા આશાપુરા માતાજીના મંદિરની સંક્ષિપ્ત માહિતી ઐતિહાસિક તથ્યો અને સાક્ષ્યો સાથે...

 મોટા આશાપુરા મંદિર ફરાદી-કચ્છ અદ્ભુત અવિસ્મરણીય અગોચર Faradi Jagir Trust મંદિર નિર્માણ થી લઈ હાલ સુધી સંક્ષિપ્ત માહિતી.⬇️ લોકવાયકા મુજબ દેશળજી બાવાને  માતાજી સ્વપ્નમાં આવી મંદિર બનાવવાનો આદેશ આપે છે. જેથી પ્રેરિત થઈને સ્વપ્નમાં મળેલ એંધાણી પર શોધખોળ કરતાં માતાજીની પથ્થરની સ્વયંભૂ મૂર્તિ મળે છે.  ત્યાં મહારાવ દેશી નળિયા વાળું મંદિર બનાવડાવે છે.  તેઓ જ્યારે ભુજ પહોંચે છે તો રાજમહેલમાં કાટમાળ જોવા મળે છે.  બીજા દિવસે ફરી માતાજી તેમને હુકમ કરે છે કે તેઓ નાની રુદ્રાણી જેવું શિખરબંધ મંદિર બનાવવામાં આવે. તે માટેનો પથ્થર માતા વારી ખાણનો વાપરવામાં આવે.  ત્યારબાદ બનેલ મંદિર તદ્દન નાની રુદ્રાણી મંદિર જેવું શિખરબંધ હતું.  જે આજે પણ જોઈ શકાય છે. મુળ મંદિર માળખાને જાળવીને તેને રીનોવેશન કરવામાં આવેલ છે. મંદિર બાબતે ઐતિહાસિક સાક્ષ્ય.⬇️   મહારાવ દેશળજી બીજા દ્વારા માંડવી - ભુજને જોડતા રાજમાર્ગ પર ખારી નદી અને મીઠી નદીની વચ્ચેના ભાગમાં આસો સુદ 15, સંવત 1915ના રોજ માં આશાપુરાનું મંદિર બંધાવાની ઈચ્છા હતી. તેનો ખત માંડવી વહીવટદાર મારફતે ફરાદી જાગીરદાર ટીલાટ જીહાજીને મંદિર બાંધકામ બાબતે ગાડા વગેરેની વ્યવસ્