Skip to main content

Posts

Showing posts from September, 2020

અફીણનું બંધાણ અને ફરાદી જાગીરનો ભુજ સાથે પત્ર વ્યવહાર.

 કચ્છ રાજ્યમાં એક સમયનું પ્રખ્યાત બંધાણ એટલે અફીણ. અફીણના બંધાણીઓ માટે તેનો નિરંતર પુરવઠો સમય પર મળવો અતિ આવશ્યક હતો. અફીણ એટલે મહા બંધાણ કે મુર્દામાં જાન ફુંકનાર શક્તિ¡¡ કવિઓએ અફીણના નશાને પ્રિયતમાના પ્રેમ સાથે સરખાવ્યો છે. જેમ કે તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારી રૂપની પુનમનો પાગલ એકલો. તો વાર્તાકારો અને વિચારકોએ તેને ખરલના ખેલ કે ઉંદર ખરલમાં ગારેલ અફીણનો કેફ ચાટી જતાં ક્યાં ગ્યાં એની મા ના મિંદડા.... વગેરે વાર્તાઓ દ્વારા નશો ક્યારેક ભાન ભુલાવે છે તે પછી  સત્તા હોય, રુપિયા હોય કે કોઈ પદનો નશો હોય. જે આ અફીણી વાર્તાઓ દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો છે. આજ અફીણના બીજ જેને આપણે ખસખસ કહીએ છીએ તે અફીણના ડોડામાંથી પ્રાપ્ત થઈ ગણપતિના મોદકના સ્વાદમાં વધારો કરે છે. ઉપરાંત લૂઝ મોશન અને અન્ય તકલીફોમાં અફીણ અને ખસખસનો દવા તરીકે ઉપયોગ પણ થતો આવ્યો છે. રાજાશાહીમાં યુધ્ધના મેદાનમાં જતાં પહેલાં યોદ્ધાઓ અને ડેલીઓના ડાયરામાં બેઠેલાં મહેમાનોમાં ખોબલેને ધોબલે કસુંબાઓ પાવામાં આવતાં. કસુંબલ ડાયરાઓનું પણ લોકસાહિત્યમાં એક આગવું મહત્વ છે. ત્યારે અફીણની આટલી પિષ્ટપેષણ પછી ફોટોમાં આપેલ પત્ર એ ફરાદી જાગીરદાર

ad